fbpx

શનિ કુંભમાં વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

શનિ કુંભમાં વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

शनैश्चरः शनैः पन्थानं आचरति यः सर्वान्।
दीर्घसूत्री च यो देवो मंदः क्रूरश्च नायकः ॥
(बृहत्पराशरहोराशास्त्र 3.28)
શનિ દેવ ધીમે-ધીમે ગતિ કરનારા છે, તે લાંબા સમય સુધી અસર કરે છે. તે મંદ, ક્રૂર અને કઠોર છે.

શનિ વાસ્તવિકતા, મહેનત, સંઘર્ષ, બીમારીઓ, લાંબા સમયની બીમારીઓ અને દુખ, કર્મફળ, ન્યાય, વિલંબ વગેરેનો કારક ગ્રહ છે. કુંભ રાશિ સંગ્રહ સૂચવે છે. મિલન-મુલાકાત સૂચવે છે. લાભ-સૂચવે છે. શનિ કુંભ રાશિમાં વક્રી થાય ત્યારે સંગ્રહખોરી પકડાય, ખજાનાઓ અને ભંડારોના તળિયા દેખાય. ક્યારેક નવા ભંડાર મળી આવે એવું પણ બને. શનિ ચાર મહિના વક્રી રહેશે. આ દરમિયાન શેરબજાર તૂટી શકે છે. એઆઈ, આઈટી અને બેંકિંગ ક્ષેત્રને આંચકો લાગી શકે છે. માસ મુવમેન્ટ – જન આંદોલનો વધી શકે છે. શનિ 29મી જૂન, રાતે 11.28 વાગ્યે વક્રી થવાની શરૂઆત કરશે અને 15મી નવેમ્બર, સાંજે 6.50 વાગ્યા સુધી વક્રી રહેશે. આ શ્લોક જુઓ.

शनिर्यदा वक्रतां याति तत्काले सर्वदुःखदम्।
वृद्धिं करोति पापानां सदा जन्तुषु दारुणम्॥
(बृहत्पराशरहोराशास्त्र 29.27)
જ્યારે શનિ વક્રી થાય છે, ત્યારે તે દુઃખ અને પાપ કર્મોની વૃદ્ધિ થાય છે.

वक्रगतिर्नृणां शत्रुनाशं करोति निश्चितम्।
क्लेशं यानि जनयति तानि दुःखकराणि च॥
(बृहत्संहिता 9.11)
શનિ વક્રી હોય ત્યારે શત્રુઓનો ચોક્કસથી નાશ થાય છે, પરંતુ એ જ સમયમાં દુઃખ અને મુશ્કેલીમાં પણ વધારો થાય છે.

શનિ વક્રી થવાને કારણે બારેબાર રાશિઓના જાતકોને કેવી અસર થશે તેનો વિસ્તૃત ફળાદેશ:

મેષ: મેષ રાશિના જાતકોને આ સમય દરમિયાન આરોગ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં અવરોધો આવશે. તેમનામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે. જીવનમાં મોટા ઉતાર-ચડાવ આવશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને આર્થિક પ્રશ્નો અને કોર્ટ કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, તેમના ધંધામાં મજબૂતાઈ આવશે. કારકિર્દી માટે મહત્ત્વનો સમય. પત્ની અથવા ભાગીદારી સંબંધિત કોઈક મેટર ઊભી થશે.

મિથુન: મિથુન રાશિના જાતકોને કારકિર્દી અને વેપાર ક્ષેત્રે મુશ્કેલીઓ આવી શકે છે. તેમ છતાં, મિત્રો અને પરિવારમાં સહકાર મળશે. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. નોકરીમાં કંઈક નવાજૂની થાય. ટ્રાવેલિંગ થાય.

કર્ક: કર્ક રાશિના જાતકોને આરોગ્ય અને ધંધામાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, તેમના માનસિક સુખમાં વધારો થશે. સંતાનોની કાળજી લેવી. શેરબજારમાં સંભાળવું. જીવનમાં ઉતાર-ચડાવ આવે.

સિંહ: સિંહ રાશિના જાતકોને શૈક્ષણિક અને માનસિક સમસ્યાઓ આવી શકે છે. યાત્રાઓમાં લાભ મળશે. માતા અથવા મિલકત સંબંધિત કોઈ બાબતમાં કામકાજ થશે. ભાગ્ય સાથ નહીં આપે. આરોગ્ય સાચવવું. ભાગીદારી બિઝનેસમાં સમસ્યા થાય.

કન્યા: કન્યા રાશિના જાતકોને આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. તમે કોઈ નવું સાહસ કરશો. આરોગ્ય સાચવવું. સંતાનોનું ધ્યાન રાખવું.

તુલા: તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પરંતુ પારિવારિક સમસ્યાઓ વધશે. સંબંધોમાં મજબૂતી આવશે. શેરબજારમાં વિચારીને જોખમ લેવું. બાળકોનું ધ્યાન રાખવું. બાંધકામ કે વારસાઈ મિલકતનું કામ થાય.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આરોગ્ય અને કારકિર્દીમાં અવરોધો આવી શકે છે. જોકે આધ્યાત્મિક સાધના માટે સારો સમય છે. તમારા શત્રુઓ પરાજિત થશે. માતા કે વારસાઈ મિલકત સંબંધિત કોઈ પ્રશ્નમાં ગતિવિધિ જોવા મળે. કામકાજમાં વિલંબ થાય.

ધન: ધન રાશિના જાતકોને આર્થિક પ્રશ્નો અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, તેઓના પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે કોઈ નવું સાહસ કરી શકો છો. તમારા નાના-ભાઈ બહેનને કષ્ટ પડી શકે. શેરબજારથી દૂર રહેવું.

મકર: મકર રાશિના જાતકોને ધંધામાં મજબૂતી આવશે, પરંતુ પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવશે. તેમ છતાં, તેઓને મિત્રોથી સહકાર મળશે. મિલકત સંબંધિત કામમાં રુકાવટ આવશે. કોઈ આર્થિક લાભ કે માન-સન્માનની પ્રાપ્તિ થાય.

કુંભ: કુંભ રાશિના જાતકોને આરોગ્ય અને કારકિર્દીમાં અવરોધો આવી શકે છે. તેમ છતાં, તેઓને વ્યવસાયિક જીવનમાં નવી તક મળશે. નવું સાહસ કરવાનું ટાળવું. ભાગીદારીના કામકાજમાં તકલીફ પડે. ખર્ચમાં વધારો થાય.

મીન: મીન રાશિના જાતકોને આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં, તેઓને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ મળશે. ખર્ચમાં વધારો થાય. જો તમે વિદેશ કે આયાત-નિકાસ સંબંધિત કામ કરતા હો તો લાભ થાય.

ઉપાય:
1. રસ્તામાં ક્યાંય ભિક્ષુક મળે તો તેમને દાન કરો.
2. ‘ૐ શં શનૈશ્ચરાય નમઃ’ આ મંત્રની રોજ એક માળા કરો.

Recent Post

નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે

बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે

Read More »
Scroll to Top